હિંદુ,મુસ્લિમ,ઈસાઈ છે માનવજાત,
આતંકી માટે આતંક જ માત્ર એક જાત,
આતંકવાદ નો આખા વિશ્વ ને કેવો ભરડો?
કે થઇ ગયો એના નામે સત્તા નો પલટો
એ રચી જાય છે સાત ભાવ નો કોરડો
માનવતા ને શોધવો પડે છે ખુદ નો ઓરડો
લોહોયાર ખેલ આતંકી એ ખેલી
પોકળ માનવતા એને ખુલી મેલી
નથી ખ્યાલ કે કેવા ઘા હૃદયે એ ગયા ઝીંકી
કે, મલમ-પટ્ટી એથી પણ એની રૂઝ ના જડી
બુઠા કાયદો એ આતંકવાદ આજેય પોષાય
સહાય ના નામે માનવતા આજેય શોષાય
શ્રધાંજલિ ના નામે મીણબત્તી સળગી બુજાય
કાશ!હવે તો આતંકવાદ ની કબર ખોદાય
જાનકી વ્યાસ
No comments:
Post a Comment